Gujarat Updates

રણવીર સિંહનું ‘ધુરંધરઃ ધ રિવેન્જ’બોક્સ ઓફિસ પર તોફાન, ઓપનિંગમાં ઉભરી શકે 100 કરોડનો વાવાઝોડું!

બૉલીવૂડના સ્ટાર રણવીર સિંહ ફરી એકવાર સ્ક્રીન પર આગ અને થ્રિલ લાવવા તૈયાર છે. નિર્દેશક અદિત્ય ધરની નિર્દેશનમાં બનેલું સ્પાય એક્શન થ્રિલર ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ 19 માર્ચ, 2026 ના રોજ સમગ્ર વિશ્વમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. આ રિલીઝ ઇદ, ગુડી પડવા અને ઉજવણીના તહેવારો સાથે મેળ ખાય છે, જેના કારણે ફિલ્મને પ્રેક્ષકોથી ભરી પેલેસ મળી શકે તેવી અપેક્ષા છે.પહેલા ભાગ ધુરંદર (2025) એ વિશ્વભરમાં આશ્ચર્યજનક*1,300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.આ ફિલ્મ એક સ્પાય એક્શન મિશન પર કેન્દ્રિત હતી, જેમાં રણવીર સિંહે જાસ્કિરત સિંહ રાંગી (હમઝા અલી મઝારી) તરીકે અભિનેતાના કરિઅરનો ગ્લોરીઅસ અનુભવ કર્યો હતો. બીજું ભાગ હવે તે જ થ્રીલ અને એક્શનને આગળ લઈ જાય છે, જ્યાં હમઝા અલી પાકિસ્તાનમાં રેહીને એક ગુપ્ત મિશન પર છે.

એડવાન્સ બુકિંગમાં તોફાન
ધુરંદર 2 માટેના એડવાન્સ બુકિંગ્સના આંકડા જોરદાર છે. ભારતમાં ફિલ્મે પહેલેથી જ 28.02 કરોડ રૂપિયાનું એડવાન્સ બુકિંગ કરી લીધું છે. દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ મોટી હિટની આગાહી જોવા મળી રહી છે. તેળગુમાં લગભગ 15,000 ટિકિટો, તામિલમાં 22,500, કન્નડમાં 1,044 અને મલયાલમમાં 1,764 ટિકિટો વેચાઈ ચૂકી છે. આ સ્થિતિ દર્શાવે છે કે ફિલ્મ માત્ર હિન્દી બજારમાં જ નહીં, પરંતુ દક્ષિણ ભારતીય ભાષી પ્રેક્ષકોમાં પણ ખૂબ લોકપ્રિય બની રહી છે. પેઈડ પ્રીમિયર શોઝ સાથે માત્ર ભારતમાં 35 કરોડ રૂપિયાની કમાણી થવાની શક્યતા છે, જ્યારે વૈશ્વિક એડવાન્સ સેલ્સને મળીને રિલીઝ પહેલાં જ 50 કરોડ રૂપિયાનું worldwide કમાણી નોંધાઈ શકે છે.

વિશ્લેષકોની માનીતા મુજબ, ‘ધુરંધરઃ ધ રિવેન્જ’નો પ્રથમ દિવસની કમાણી ભારતમાંથી 100 કરોડ રૂપિથી વધુ પહોંચી શકે છે. વૈશ્વિક બજારમાં જોડાણ સાથે, પહેલી દિવસની worldwide ઓપનિંગ 200 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, જે તેને હિન્દી ફિલ્મો માટેના સૌથી મોટા ઓપનિંગમાં સ્થાન અપાવી શકે છે. બૉક્સ ઓફિસમાં આ અપેક્ષા તેના પહેલાના ભાગની સફળતા, રણવીર સિંહના ફેનબેઝ અને મોટી એડવાન્સ બુકિંગ્સ પર આધારિત છે. ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે આ ફિલ્મ હિન્દી સિનેમાના તમામ રેકોર્ડ તોડવા માટે તૈયાર છે.

ફિલ્મનું કાસ્ટ અને સ્ટોરીલાઇન
રણવીર સિંહ હમઝા અલીના રોલમાં છે, જે એક ભારતીય ગુપ્તચર છે. તે પાકિસ્તાનમાં ઘુસી જઇને ત્યાંના ગેંગસ્ટર અને ટેરર નેટવર્કના ગુપ્ત મિશન પર કાર્યરત છે.ફિલ્મમાં અન્ય પ્રખ્યાત કલાકારો છે:સંજય દત્ત ,અર્જુન રામપાલ,R. માધવન, રાકેશ બેદી, સારા અર્જુન . ફિલ્મના સ્ટોરીલાઇનમાં હમઝા અલી કેવી રીતે પાકિસ્તાનના ગેંગસ્ટરો અને આંતરરાષ્ટ્રીય ટેરર નેટવર્કને નાશ કરે છે, તે બતાવવામાં આવ્યું છે. એક્શન, થ્રિલ અને ગોપનીય મિશનનું સરસ મિશ્રણ દર્શકોને સ્ક્રીન પર બાંધીને રાખે છે.રણવીર સિંહના શહેંશાહ અભિનય સાથે, વધુ એક એક્શન અને થ્રિલ ભરી ફિલ્મ સાબિત થઈ શકે છે. ફિલ્મમાં હવાઈ એક્શન સીન, હાઈસ્ટેક્સ્ટ એક્શન, અને દેશપ્રેમી થીમ દર્શાવવામાં આવ્યું છે,

રામ ગોપાલ વર્મા એ કહ્યું કે, જો ફિલ્મ worldwide 1,500–2,000 કરોડ કમાઈ જાય તો દક્ષિણ સિનેમાની બજારમાં પણ મોટી હદ સુધી અસર કરશે. તેણે પહેલાના ભાગને પ્રશંસા આપી છે અને બીજા ભાગને “મહાબ્લોકબસ્ટર” ગણાવ્યું છે.

Exit mobile version