ઊંઘની દવાના અંશથી તપાસ તેજ: અમદાવાદ ચાંદખેડા ફૂડ પોઈઝનિંગ કેસ
Ahmedabad 09 April 2026 : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીના મોતના કેસમાં હવે ચોંકાવનારો નવો ખુલાસો સામે આવ્યો છે. અત્યાર સુધી જેને ફૂડ પોઈઝનિંગનો કેસ માનવામાં આવતો હતો, તે હવે વધુ ગૂંચવણભર્યો બની ગયો છે. તાજા બ્લડ રિપોર્ટમાં માતા-પિતાના લોહીમાં ઊંઘની દવાના અંશ મળતા પોલીસની તપાસ નવી દિશામાં આગળ વધી રહી છે.
તાજેતરમાં ચાંદખેડા વિસ્તારમાં એક જ પરિવારની બે બાળકી—એક આશરે 3 મહિનાની અને બીજી 4 વર્ષની—ના મોત થયા હતા. પરિવારના જણાવ્યા મુજબ, તેમણે બજારમાંથી લાવેલા ઢોંસાના ખીરું (બેટર)થી બનાવેલા ઢોંસા ખાધા બાદ તમામ સભ્યોની તબિયત બગડી હતી. બાળકીઓના મોત બાદ માતા-પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ ઘટના ફૂડ પોઈઝનિંગ તરીકે જોવામાં આવી રહી હતી.
તપાસમાં નવો ખુલાસો : હવે આ કેસમાં સૌથી મોટો ટ્વિસ્ટ સામે આવ્યો છે. માતા-પિતાના બ્લડ સેમ્પલમાં ઊંઘની દવાના અવશેષો મળ્યા છે. આ માહિતી બહાર આવતાં પોલીસે તપાસ વધુ સઘન બનાવી છે. ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)નો ફાઈનલ રિપોર્ટ હજુ બાકી છે.ફૂડ પોઈઝનિંગ થિયરી પર શંકા કેમ?
પોલીસ અને તપાસ એજન્સીઓએ કેટલાક મહત્વના મુદ્દા નોંધ્યા છે:
- તે જ બેચનું ખીરું લગભગ 200 જેટલા લોકો દ્વારા ખાધું હતું, પણ કોઈને અસર થઈ નહોતી
- 3 મહિનાની બાળકીના મોત અંગે શંકા—એને સામાન્ય રીતે સોલિડ ફૂડ આપવામાં આવતું નથી
- ડેરી માલિકે પણ ખીરું ખરાબ હોવાનો આરોપ નકારી કાઢ્યો છે
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે ફૂડ પોઈઝનિંગ થિયરી નબળી પડી રહી છે.
પોલીસની નવી દિશામાં તપાસ : હવે પોલીસ નીચે મુજબના એંગલ પર તપાસ કરી રહી છે:
- ઈન્ટેન્શનલ પોઈઝનિંગ (જાણબૂઝીને ઝેર આપવું) :બ્લડમાં ઊંઘની દવા મળતા આ શક્યતા વધુ મજબૂત બની છે.
- આત્મહત્યા અથવા પરિવારિક વિવાદ : શું કોઈ માનસિક દબાણ કે ઘરેલુ સમસ્યા હતી?
- દવાના ઓવરડોઝ અથવા મિશ્રણ: શું ખોરાકમાં દવા મિશ્રિત થઈ ગઈ?
- તૃતીય વ્યક્તિની સંડોવણી : શું કોઈ બહારના વ્યક્તિએ ઝેર આપ્યું?
આ ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટનો બાદ જ સાચી હકીકત સામે આવશે.આ કેસ હવે સામાન્ય ફૂડ પોઈઝનિંગથી આગળ વધી ગયો છે અને મિસ્ટ્રી ડેથ કેસ બની ગયો છે. ઊંઘની દવાના અંશ મળતા તપાસ વધુ ગંભીર બની ગઈ છે અને પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.
www.gujaratupdats.com
