મુખ્ય સમાચારગુજરાતભારત

ટ્રાફિક નિયમો પર સરકારનો કડક ડંડો

કેન્દ્ર સરકારના નવા મોટર વાહન નિયમો અમલમાં, વાહનચાલકો સાવધાન!

16 June 2026 Gujarat Updates Team: માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના કડક અમલીકરણ માટે કેન્દ્ર સરકારે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. નવા નિયમો મુજબ જો કોઈ વાહનચાલક એક જ વર્ષ દરમિયાન પાંચ અથવા તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરીને ચલણ મેળવે છે, તો તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

સરકારે જાહેર કરેલા નવા સુધારાઓ હેઠળ ઈ-ચલણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બનાવવામાં આવી છે. હવે વાહનચાલકોને ઈ-ચલણ સામે વાંધો અથવા ફરિયાદ નોંધાવવા માટે 45 દિવસનો સમય આપવામાં આવશે. જો આ સમયગાળા દરમિયાન કોઈ રજૂઆત કરવામાં નહીં આવે, તો તે ચલણ આપમેળે સ્વીકારાયેલ ગણાશે.

આ ઉપરાંત, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને મળેલા ઈ-ચલણની રકમ સમયસર ભરપાઈ ન કરવામાં આવે તો સંબંધિત વાહનને ‘વાહન પોર્ટલ’ પર બ્લોક કરવામાં આવશે. વાહન બ્લોક થયા બાદ વાહન સંબંધિત વિવિધ સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ બાકી રહેલા ઈ-ચલણ સમયસર ભરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે નવા નિયમોથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જવાબદારીની ભાવના વિકસશે.

વિશેષજ્ઞોના મત અનુસાર, આ સુધારાઓ માર્ગ સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જોકે, વાહનચાલકોએ હવે વધુ સાવધાની રાખવી પડશે, કારણ કે વારંવાર નિયમભંગ કરવો હવે મોંઘો પડી શકે છે.

www.gujaratupdates.com

અમારી WhatsApp ચેનલ માં જોડાવો : Click karo
અમારી Telegram ચેનલ માં જોડાવો : Click karo

આ આર્ટિકલને તમારા સોશિયલ મીડિયા પર શેર કરવા નીચેના આઈકોન પાર ક્લિક કરો.

Gujarat Updates
Privacy Overview

This website uses cookies so that we can provide you with the best user experience possible. Cookie information is stored in your browser and performs functions such as recognising you when you return to our website and helping our team to understand which sections of the website you find most interesting and useful.